પ્રસ્તાવના
કોઈ પણ બાળક કેવું જનમશે એ તેના પ્રારબ્ધ, માતા-પિતાના ગુણ/દોષ અને ગર્ભાવાસ્થામાં લેવાયેલ ગર્ભની કાળજીનું સંયુક્ત પરિણામ હોય છે, માટે ગર્ભની જેટલી સારી સંભાળ રાખીએ તેટલું સારું બાળક અવતરવાની સંભાવના છે. ગર્ભનું પોષણ-વિકાસ માતા દ્વારા થતો હોવાથી તે શરીર અને મનથી સંપૂર્ણ રીતે માતાથી પ્રભાવિત હોય છે.
માતા કેવું બોલે-સાંભળે છે, ખાય-પીવે છે, વર્તન-વિચાર કરે છે એ બધાંની ઊંડી અસર ગર્ભ પર પડે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નીરોગી, માનસિક અને બૌધીક રીતે સક્ષમ, સર્વગુણસંપન્ન બાળક અવતરે એ માટે માતાએ ગર્ભાવસ્થાના પ્રતિએક મહિના દરમિયાન શું ખાવું-ન ખાવું, શું કરવું-ન કરવું, કેવા ઉપચાર કરવા, દર માસે ગર્ભનો કેવો અને કેટલો વિકાસ થાય છે, કેવા મંત્રોનો પાઠ કરવો વગેરે ની વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ની માહિતી વેદ અને આયુર્વેદમાં સદીઓ પહેલા આપેલ છે (ગર્ભવિજ્ઞાન/ગર્ભ બેઝિક્સ).
આ સદીઓ જુના વિજ્ઞાનના દરેક આયામની પુષ્ટિ ધીરે ધીરે હવે આધુનિક વિજ્ઞાન પણ કરે છે જેની માહિતી આગળ અનુંભાગવાર આપેલ છે.