પ્રસ્તાવના

કોઈ પણ બાળક કેવું જનમશે એ તેના પ્રારબ્ધ, માતા-પિતાના ગુણ/દોષ અને ગર્ભાવાસ્થામાં લેવાયેલ ગર્ભની કાળજીનું સંયુક્ત પરિણામ હોય છે, માટે ગર્ભની જેટલી સારી સંભાળ રાખીએ તેટલું સારું બાળક અવતરવાની સંભાવના છે. ગર્ભનું પોષણ-વિકાસ માતા દ્વારા થતો હોવાથી તે શરીર અને મનથી સંપૂર્ણ રીતે માતાથી પ્રભાવિત હોય છે.

માતા કેવું બોલે-સાંભળે છે, ખાય-પીવે છે, વર્તન-વિચાર કરે છે એ બધાંની ઊંડી અસર ગર્ભ પર પડે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નીરોગી, માનસિક અને બૌધીક રીતે સક્ષમ, સર્વગુણસંપન્ન બાળક અવતરે એ માટે માતાએ ગર્ભાવસ્થાના પ્રતિએક મહિના દરમિયાન શું ખાવું-ન ખાવું, શું કરવું-ન કરવું, કેવા ઉપચાર કરવા, દર માસે ગર્ભનો કેવો અને કેટલો વિકાસ થાય છે, કેવા મંત્રોનો પાઠ કરવો વગેરે ની વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ની માહિતી વેદ અને આયુર્વેદમાં સદીઓ પહેલા આપેલ છે (ગર્ભવિજ્ઞાન/ગર્ભ બેઝિક્સ).

આ સદીઓ જુના વિજ્ઞાનના દરેક આયામની પુષ્ટિ ધીરે ધીરે હવે આધુનિક વિજ્ઞાન પણ કરે છે જેની માહિતી આગળ અનુંભાગવાર આપેલ છે.

ગર્ભ બેઝિક્સ વિશે

ગર્ભાધાન પૂર્વેની તૈયારી

ઉત્તમ ફળ/પાક મેળવવા માટે બીજની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા અનિવાર્ય છે. ગર્ભધારણની પ્રક્રિયામાં સૌથી મહત્વની અને પાયાની પ્રક્રિયા છે અંડબીજ અને શુક્રાણું નો સંગમ.

ગર્ભાધાન

શરીર શુધ્ધિ જેટલી મહત્વની છે તેટલી જ ગર્ભાધાન સમયે માનસિક શાંતિ પણ જરૂરી છે. ગર્ભધારણ વખતે બન્નેની મનોસ્થિતિનો પ્રભાવ ગર્ભ પર પડે છે, માટે આ સમયે દંપતીને કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન હોવો જોઈએ.

ગર્ભાવસ્થા

ગર્ભમાં દરેક માસમાં વિશેષ ફેરફાર થાય છે, જે ફક્ત શારીરિક નથી. તેની વિવિધ ઇન્દ્રિયો, મન, ચિત્ત વગેરે પણ વિકસતા હોય છે. માતાના ખોરાક ઉપરાંત તેના મન અને પાંચેય ઇન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ અને ત્વચા) ના અનુભવની ગર્ભ પર અસર થાય છે.

ગર્ભાવસ્થા પછી

ઉત્તમ ફળ/પાક મેળવવા માટે બીજની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા અનિવાર્ય છે. ગર્ભધારણની પ્રક્રિયામાં સૌથી મહત્વની અને પાયાની પ્રક્રિયા છે અંડબીજ અને શુક્રાણું નો સંગમ…

ડાઉનલોડ કરો અને ગમે ત્યાં કોઈપણ સમયે ગર્ભ બેઝિક્સનો અભ્યાસ કરો!

વપરાશકર્તાઓ ના વિચારો

અમને ઇમેઇલ કરો : hello@garbhbasics.com